Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
વાંસદા ખાતે લોકનૃત્ય - શાસ્ત્રીય નૃત્ય 2024-25 તાલીમ શિબિર સમાપન કાર્યક્રમ યોજાયો.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને દ્વારા લોકનૃત્ય -શાસ્ત્રીય નૃત્ય તાલીમ શિબિર નવસારી જિલ્લામાં યોજાઈ હતી. જેમાં પ્રાચીન અર્વાચીન રાસ- ગરબા અને શાસ્ત્રીય નૃત્યમાં ભરતનાટ્યમ અને કથ્થક નૃત્યની સાત દિવસીય વર્કશોપ નટરંગ ડાન્સ એકેડેમી, ગોપાલજી મંદિર હોલ, નવસારી ખાતે યોજાઈ હતી તેમજ પરંપરાગત લોકનૃત્ય તાલીમ શિબિર શ્રી એલ.આર.કોન્ટ્રાકટર સાર્વજનિક હાઈસ્કૂલ, પીપલખેડ વાંસદા ખાતે યોજવામાં આવી હતી. આ શિબિરમાં ડાંગી નૃત્ય તેમજ આદિવાસી લોકનૃત્યના અન્ય પ્રકારોની તાલીમ આપવામાં આવી હતી.
ગુજરાતની ઓળખસમા લોકનૃત્ય અને ભાતિગળ સંસ્કૃતિ ક્ષેત્રે રૂચિ ધરાવતા યુવક / યુવતીઓને પોતાની કારકિર્દી ઘડવા તેમજ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના ઉદ્દેશ્યથી આયોજીત આ વર્કશોપમાં લોકનૃત્ય, રાસ-ગરબા ક્ષેત્રે વર્ષોનો અનુભવ ધરવતાં ડૉ. હેમાગભાઈ વ્યાસ- સુરત, શ્રી દિવ્યાંગ પંચાલ- નવસારી, શ્રી યજ્ઞિકાબેન પટેલ- ડોલવણ, શ્રી હેતલકુમારી પટેલ- નાની વાલઝર સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતું.
Comments
Post a Comment