Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું.

Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું.

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનુંબાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ યોજાયું.

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ વાડ મુખ્ય પ્રા. શાળા ખેરગામ, તા. ખેરગામના સ્થળે તા. ૩/૧૦/૨૦૨૪ ના રોજ યોજાયું હતું.

જેનાં મુખ્ય વિષય : ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી આધારિત વિવિધ તાલુકાની  25 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.જેમાં  વિભાગ -૧ ખોરાક આરોગ્ય અને સ્વચ્છતામાં હેપ્પી & હેલ્ધી પીરીયડસ કૃતિ વાડ મુખ્ય પ્રાથમિક શાળા, વિભાગ-૨ પરિવહન અને સંચારમાં પરવીસમ કોંકીટ રોડ કૃતિ ખેરગામ કુમાર શાળા, વિભાગ ૩માં પ્રાકૃતિક ખેતી, જમીન સુધારણ અને જીવાત નિયંત્રણ કૃતિ વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળા,  વિભાગ ૪માં ગણિતીક નમૂનાઓ અને ગણનાત્મક વિચારણા, સ્માર્ટ મેડા મેજીક બોક્સ કૃતિ પાટી પ્રાથમિક શાળા,  વિભાગ -૫ (અ) આપત્તિ વ્યવસ્થાપન (બ)કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપનમાં ફુડ વેસ્ટ મેનેજમેન્ટ સીસ્ટમ જામનપાડા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંકે આવી હતી. જેમને ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરાયું હતું.તે ઉપરાંત ભાગ લીધેલ તમામ શાળાઓને પણ ટ્રોફી અને સન્માન પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમારંભના  ઉદ્ઘાટકશ્રી  નરેશભાઈ એમ. પટેલ માન.ધારાસભ્યશ્રી ગણદેવી (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી),મુખ્ય મહેમાનશ્રી શ્રી રાજેશભાઈ આર. પટેલ પ્રમુખશ્રી તા.પં. ખેરગામ, તાલુકા પૂર્વ પ્રમુખશ્રી સંપતભાઇ પટેલ, શ્રીમતિ અંજલીબેન સી. પટેલ સરપંચશ્રી વાડ, વાડ ગામનાં આગેવાન ચેતનભાઈ પટેલ તથા દિનેશભાઈ પટેલ, રોહિતભાઈ પટેલ લેક્ચરર, જીલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી, શ્રી મનીષભાઈ કે. પરમાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તા.પં. ખેરગામ,શ્રી વિજયકુમાર એમ. પટેલ બી.આર.સી.કો. ઓ. ખેરગામ, ઈનચાર્જ કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ અને મહામંત્રી શ્રી કિરીટભાઇ પટેલ સહ સંઘના હોદ્દેદારો, આચાર્યશ્રીઓ, શિક્ષકો, બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષકો, સીઆરસી કો.ઓશ્રીઓ, બીઆરપી, ખેરગામ બીઆરસી ભવન સ્ટાફ, શાળા પરિવાર / તથા SMC વાડ પ્રાથમિક શાળા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





Comments

Popular posts from this blog

પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક ચંદુબાપાની બીજી પુણ્યતિથિ ઉજવવામાં આવી.

   ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક અને આસપાસના ગામોમાં શિક્ષણક્ષેત્રે, સેવાભાવી સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલની બીજી પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયામાં ઉપલબ્ધ માહિતી મુજબ ખેરગામ તાલુકાના પાણીખડક સહિતના આસપાસના ગામોમાં શિક્ષણક્ષેત્રે ખુબ જ જાણીતું નામ અને ચંદુબાપાના નામથી ઓળખાતા સેવાભાવી સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલનું કોરોનાની મહામારી દરમ્યાન ટૂંકી સારવાર દરમ્યાન નિધન થયેલ હતું જેમના માનમાં તેમના સારા કાર્યોની સુગંધ ફેલાય એ હેતુથી સંસ્કાર ભારતી વિદ્યામંદિર પાણીખડક હાઈસ્કૂલના સંચાલક મંડળના પ્રમુખ આછવણી ગામના ધર્માચાર્ય પ્રગટેશ્વર ધામના પરભુદાદા અને સભ્યો ખંડુભાઇ પટેલ, બાબુભાઇ પટેલ, ઠાકોરભાઈ પટેલ તેમજ આચાર્ય મનોજભાઈ પટેલ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પુણ્યતિથિનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,દલપત પટેલ,ભાવેશ પટેલ, મંગુભાઇ, મયુર, ખેરગામ તાલુકા ભાજપા પ્રમુખ ચુનીભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. તમામ મહાનુભાવોએ ચંદુબાપાના શિક્ષાદાન મ...

નાગાલેન્ડના ઈન્ટરનેશનલ હોર્નબિલ ફેસ્ટિવલમાં ડાંગનો યુવાન ' ડુંગરદેવ' ગીતથી છવાયો.

  નાગાલેન્ડના ઈન્ટરનેશનલ હોર્નબિલ ફેસ્ટિવલમાં ડાંગનો યુવાન ' ડુંગરદેવ' ગીતથી છવાયો. ગુજરાતના પ્રથમ આદિવાસી રેપર, કામડીએ હોર્નબિલ ઉત્સવમાં પરંપરાગત ડાંગી રિધમ અને ડાંગ ના ડુંગર દેવ (ડાંગના પર્વત દેવ) સાથે સંકળાયેલ ગીત ગાઈને  તેમની અનન્ય પ્રતિભા દર્શાવી હતી. ગુજરાતના ડાંગના આદિવાસી અંતરિયાળ વિસ્તારના આદિવાસી રેપર ટીઆર કામડીએ નાગાલેન્ડમાં પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ હોર્નબિલ ફેસ્ટિવલમાં ડુંગર દેવ (ડુંગર દેવ) ગીતની રજૂઆત સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. નાગાલેન્ડ સરકાર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય હોર્નબિલ ફેસ્ટિવલ 1લી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી ચાલે છે અને સમગ્ર ભારતમાં નોંધપાત્ર લોકપ્રિયતા ધરાવે છે. દેશ અને વિદેશના અસંખ્ય પ્રવાસીઓને કાશીમા, નાગાલેન્ડ તરફ ખેંચીને, આ વર્ષના ઉત્સવમાં ડાંગના ડાંગી બોય ટીઆર દ્વારા અસાધારણ પ્રદર્શન જોવા મળ્યું, જેણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. આદિવાસી જૂથો દ્વારા વિવિધ પ્રસ્તુતિઓમાં, ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના સંવાદ રિધમ ઓફ ધ અર્થ ગ્રૂપ, લદ્દાખના આદિવાસી દાસુગ બેન્ડ સાથે, તેમના સાંસ્કૃતિક કૃતિનું પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રિધમ ગ્રુપમાં ગુ...

વાડ મુખ્ય શાળામાં પ્રાથમિક વિભાગમાં બાળમેળો અને ઉચ્ચત્તર વિભાગમાં લાઈફ સ્કીલ આધારિત બાળમેળો યોજાયો

       વાડ મુખ્ય શાળામાં પ્રાથમિક વિભાગમાં બાળમેળો અને ઉચ્ચત્તર વિભાગમાં લાઈફ સ્કીલ આધારિત બાળમેળો યોજાયો.  આજ રોજ તારીખ 18/08/2023 ને શુક્ર્વારના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા તા. ખેરગામ જિ. નવસારીની શાળામાં બાળમેળો અને લાઈફસ્કીલ બાળમેળો જીલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી દ્વારા યોજવામાં આવ્યો. આયોજન પ્રમાણે ધોરણ 6 થી 8 માં જીવન કૌશલ્ય અને જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો સમાવેશ કરી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢી આત્મવિશ્વાસ પ્રસ્થાપિત કરવાના હેતુ માટે લાઈફસ્કીલ આધારિત બાળમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.               ધોરણ ૧થી ૫ માં બાળમેળામાં માટીકામ, ચિટકકામ, છાપકામ , રંગપૂરણી, કાગળકામ, અભિનયગીત, વેશભૂષા, બાળવાર્તા જેવી અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તેમજ ધોરણ ૬ થી ૮ ના બાળકો “ જીવન કૌશલ્ય આધરિત બાળમેળમાં” સર્જનાત્મક પ્રવૃત્તિઓ, ચાલો શીખીએ, સ્વજાગૃતિ, સ્વચ્છતા અને સુશોભન , વાંચન,લેખન અવલોકન , પર્યાવરણને જાણો,માણો અને જાળવો , હળવાશનીપળોમાં , સમાન્ય જ્ઞાન અને સમસ્યા ઉકેલ, સમૂહજીવન અને બાળપ્રદર્શન જેવા વિભાગમાં જ...