Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

કુમાર શાળા ખેરગામના ઉપશિક્ષિકા શ્રીમતી જશુબેન પટેલનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો.

                              


કુમાર શાળા ખેરગામના ઉપશિક્ષિકા શ્રીમતી જશુબેન પટેલનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો.

તારીખ : ૦૯-૧૦-૨૦૨૩નાં રોજ ખેરગામ કુમાર શાળા ખાતે ફરજ બજાવતા શ્રીમતી જશુબેન પટેલનો નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. 

જશુબેન પટેલનો જન્મ ચીખલી તાલુકાના  ઘેજ નાના ડુંભરિયા ગામે તા. ૦૨/૦૬/૧૯૬૫ નાં રોજ થયો હતો. તેમણે બાલ્યકાળનાં શરૂઆતથી જ શિક્ષણમાં રસ ધરાવી શિક્ષણ જગતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. તા. ૧૯/૦૯/૧૯૮૮ દિને ખાતામાં દાખલ થયા હતા. પ્રથમ તેમણે ઉમરગામ (સરીગામ) વાડિયાપાડા પ્રા. શાળામાં નિમણૂંક મેળવી ૯ વર્ષ ૨ માસ સેવા બજાવી હતી. ત્યારબાદ તા.૧૯/૧૨/૧૯૯૮ થી વાડ ઉતાર ફ.પ્રા. શાળામાં ૨ માસ ૨૭ દિવસ સેવા બજાવી અને તા.૧૭/૦૩/૧૯૯૯ થી ૩૧/૧૦/૨૦૨૩ સુધી સદર  શાળામાં ૨૪ વર્ષ ૨ માસ અને ૧૪ દિવસ સેવા આપી શૈક્ષણિક કાર્યક્ષેત્રમાં ઓતપ્રોત  રહી બાળકોના સર્વાંગી વિકાસમાં અગત્યનો ફાળો આપ્યો જે શાળાનાં  વિધાર્થીઓ, વાલીઓ તથા શિક્ષણગણ તેમનાં તરફથી મળેલ સેવાની કદર કરે છે.

 તેમણે આ શાળામાં આવી પ્રગતિના નવાં પીછાં ઉમેર્યા. શાળા અને બાળકોને પોતાનો પરિવાર બનાવ્યો. શાળાની શૈક્ષણિક અને ભૌતિક પ્રગતિ માટે સતત ચિંતન કરતા. બાળકોને મા ના જેવો પ્રેમ, પિતાના જેવું વાત્સલ્ય મિત્ર જેવો સ્નેહ અને શિક્ષક તરીકે શિક્ષકત્ત્વ અદા કરી સમાજમાં એક ઉત્તમ પ્રતીતિ કરાવી. શાળા અને શિક્ષણને કર્મ અને ધર્મ બનાવી બાળકોમાં શિક્ષણ સાથે જીવનની કેળવણીના પાઠો અને ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું. માનવ ઘડતરનું કામ કર્યું સત્ય સદાચાર, વિનય, વિવેક, નિર્ઘામતતા કાર્યનું પાલન જેવા ગુણોનું સિંચન કર્યું. તેમની દીર્ધકાલીન સેવાની શાળા પરિવાર અને ગ્રામજનો કદર કરે છે.

   અંતમાં પરમકૃપાળુ પરમાત્મા શ્રીમતી જશુબેન તથા તેમના પ્રિય પરિવારને નિરામય દીર્ધાયુ, સુખ, શાંતિ, સ્નેહ અને સમૃધ્ધ બક્ષે અને  હવે પછીનું શેષ જીવન સમાજના કાર્ય માટે સહયોગી બની રહે એવી શિક્ષક સમાજ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, આ  શાળાના સેવાનિવૃત્ત કેન્દ્ર શિક્ષક તથા જનતા માધ્યમિક મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, નવસારી જિલ્લા અને ખેરગામ તાલુકા સંઘના  હોદ્દેદારો ઉપરાંત કારોબારી સભ્યો, ખેરગામ બી.આર.સી., સી.આર.સીઓ, ખેરગામ બી.આર.સી સ્ટાફ, તાલુકાના શિક્ષકો, મુખ્ય શિક્ષકો, શાળા પરિવાર, ખેરગામના પત્રકાર મિત્રો, સદર શાળાના નિવૃત્ત શિક્ષકો, આચાર્યો, કેન્દ્રશિક્ષકો, આમંત્રિત સગાસંબંધીઓ, મિત્રવર્તુળ, અને એસ.એમ.સી.નાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



Comments

Popular posts from this blog

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

 Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ...

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ્...

Valsad,Navsari,Dang News paper updates 18-06-2024 :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

Valsad,Navsari,Dang News paper updates 18-06-2024 :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,  Courtesy: News paper