Skip to main content

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

નવસારી વન વિભાગના આરએફઓ હીના પટેલને ‘નવદુર્ગા એવોર્ડ’થી સમ્માનિત.


 નવસારી વન વિભાગના આરએફઓ હીના પટેલને ‘નવદુર્ગા એવોર્ડ’થી સમ્માનિત.

આસામના ગુવાહાટીમાં આયોજિત પ્રથમ એશિયન રેંજર ફોરમમાં સામાજિક વનીકરણ વિભાગ નવસારીના RFO હિના પટેલને વનદુર્ગા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર હીના પટેલને પ્રકૃતિના સંરક્ષણ માટે તેમના સમર્પણ બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હિના પટેલે ફોરેસ્ટ ઓફિસર તરીકેની કારકિર્દીમાં પ્રસંશનીય કામગીરી કરી ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવી ખેતી થઈ શકે તે માટેના પ્રયાસો કર્યા છે. તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાબેલેદાદ કામગીરી કરી રહ્યા છે. 

આસામના ગુવાહાટીમાં ગત તા.પમી ડિસેમ્બરના રોજ આયોજિત પ્રથમ એશિયન રેન્જર ફોરમમાં એક્સપ્લોરિં ગવુમનહૂડ ફાઉન્ડેશન દ્વારા દેશની ચાર મહિલાઓને વન દુર્ગા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

વન દુર્ગા પુરસ્કારો વન્યજીવન અને વન સંરક્ષણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને આપવામાં આવે છે. હીના પટેલને પ્રકૃતિના સંરક્ષણના ક્ષેત્રમાં આવા સાહસિક, કુશળ અને ઉત્કૃષ્ઠ કાર્ય માટે વનદુર્ગા એવોર્ડ આપવામાં આવ્યો છે.


પોતાને મળેલા વન દુર્ગા એવોર્ડ વિશે હીના પટેલે જણાવ્યુ હતું કે, વ્યક્તિની ક્ષમતાને સ્ત્રી કે પુરુષના રૂપમાં ન જોવી જોઈએ. સ્ત્રી કોઈપણ ક્ષેત્રમાં કામ કરવાં સક્ષમ છે. ગુજરાત વન વિભાગમા હું દસ વર્ષથી જોડાયેલી છું. ડિપાર્ટમેન્ટના તથા ઉપરી અધિકારીઓના સહયોગના લીધે આ જર્ની ખુબ જ પ્રેરણાદાયી રહી છે. પ્રાણીઓ સાથે કામ કરવું તે ખૂબ જ રોમાંચક કાર્ય છે.







Comments

Popular posts from this blog

ખેરગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

                       ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં  ખેરગામ, શામળા ફળિયા, બહેજ, પાટી અને પાણીખડક એમ પાંચ સી.આર.સીની કુલ ૩૫ એન્ટ્રી આવી હતી. જેમાં વિભાગ -૧  ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથનમાં બહેજ પ્રાથમિક શાળાની ભવ્યા વિપુલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૨ પ્રીપેટરી સ્ટેજ વાર્તા કથનમાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૩ મિડલ સ્ટેજ વાર્તા નિર્માણમાં કન્યા શાળા ખેરગામની વિદ્યાર્થિની ધ્રુવી સુનિલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.                           જ્યારે સંગીતવાદન સ્પર્ધામાં બંધાડ  ફળિયા પ્રાથમિક આછવણીનો વિદ્યાર્થી કેવલ્ય જયેશભાઇ પટેલ ધોરણ -૮ નો પ્રથમ ક્રમાંક, સંગીતગાયન સ્પર્ધામાં દેશમુખ  ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરીની વિદ્યાર્થિની યુતિકા  સુનિલભાઈ ગાંગોડા ધોરણ -૮ પ્રથમ ક્રમાંક, ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની અર્ચના કે પટેલ ધોરણ -૮ પ...

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.