Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Khergam : ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

              Khergam :  ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

વાડ ખાતે યોજાયેલ ૭૫માં પ્રજાસત્તાક પર્વના દિને વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલને ખેરગામ તાલુકા પંચાયત તરફથી તેમની વિશિષ્ટ કામગીરી બદલ તેમનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબના હસ્તે જ્યારે ખેરગામ કેન્દ્ર 'પ્રતિભાશાળી શિક્ષક'નું સન્માન વાડ ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલના હસ્તે  કરવામાં આવ્યું હતું. આમ તેમનું બેવડું સન્માન કરવામાં આવ્યું હતું.

તેમનાં વિશિષ્ટ કાર્યોમાં  જિલ્લા કક્ષાએ ઇનોવેશનમા ભાગીદરી,વહિવટી ઓનલાઇન દરેક કામગીરીમાં ભાગીદારી, શાળા બાળકોને જરૂરિયાત મુજબ આર્થિક મદદ કરવી, શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીસંમેલન,ધોરણ -૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને સને -૨૦૨૨ ના વર્ષમાં લેમિનેટ 30 દેશી હિસાબ વિતરણ, શાળામાં વોલ પર લગાવેલ ફોર્મશીટના ફોટા માટે ૫૦૦૦/- નું દાન, શાળામાં સરસ્વતી માતાની ફોટો દાન, વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિના લેમિનેશન ના ફોટા માટે ૨૨૦૦/- રૂનું દાન, શાળાનો લોગો બનાવવો, શાળામાં બાગ માટે માટીપુરાણ,શાળા મેદાનમાં વિવિધ વૃક્ષોનું વાવેતર અને જતન જેવા વિશિષ્ટ કાર્યોનો સમાવેશ થાય છે.

તેમણે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન કરેલી કામગીરીમાં કોરોના સમયમાં પ્રા.શાળા વાડ ગામમાં અનાજ વિતરણ, ઇકો કલબના માધ્યમથી કિચન ગાર્ડન તથા શાળા સ્વચ્છતા પર વિશેષ ધ્યાન, શાળા રામહાટ કુછ ખોયા પાયા જંક કોર્નર પક્ષીઘર, અક્ષય પાત્ર જેવી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે વિશેષ યોગદાન, ચિત્ર સ્પર્ધાની તૈયારી,શાળામાં વિવિધ રમતોનું આયોજન, શાળા કક્ષાએ થતા વિવિધ કાર્યક્રમોમાં ઉદઘોષકની કામગીરી, એક ભારત શ્રેષ્ઠ ભારત ની ઉજવણી, NMMS પરિક્ષાની તૈયારી, વર્ષ-૨૦૨૨-૨૩ મો તાલુકા કક્ષા સુધી વિજ્ઞાન મેળામાં ભાગીદારી, ટવીનીંગ કાર્યક્રમની ભાગીદારી (વાડ મુખ્ય પ્રા. શાળ- કન્યા શાળા), શાળા સ્વચ્છતા, આરોગ્યમાં ભાગીદારી, પુસ્તકાલયની જાળવણી, કેન્દ્ર કક્ષાએ પ્રયોગશાળાની મુલાકાત પ્રવાસ આયોજનમાં ભાગીદારી, પ્રોજેક્ટ બનાવવા, શાળાની online વહિવટી કામગીરીમાં મદદ કરવી જેવી કામગીરી મહેનત ખંતથી કરી હતી.


મહત્વની મુખ્ય બાબત તાલુકા કક્ષાની વહીવટી કામગીરીમાં તેમનું સવિશેષ યોગદાન રહ્યું છે. તેમજ તાલુકા કક્ષાની કોઈ પણ સ્પર્ધાઓ કે વિજ્ઞાન મેળા જેવા કાર્યક્રમનાં આયોજનમાં તેમની વિશિષ્ટ ભૂમિકા હોય છે. તાલુકાનાં ઉચ્ચત્તર પગારની કામગીરી પરિવારના ભોગે પણ ઘરે કરતા હોવાનું તાલુકાનાં શિક્ષકવર્તુળ પાસેથી જાણવા મળેલ છે. તેઓ ટેકનોલોજીના એક્સપર્ટ હોવા છતાં તેઓ એ બાબતે કદી બડાઈ મારતા નથી.  તેઓ મિતભાષી, કોઈ પણ કામગીરી  ગંભીરતા  અને જવાબદારીપૂર્વક પૂર્ણ કરવું, સમય પાલનના આગ્રહી, જેવી બાબતે તેમના વ્યક્તિત્વમાં પરિપક્વતાનાં દર્શન થાય છે. એવા ઘણા બધા તેમના જમા પાસા છે. ખેરગામ સિવાયના વલસાડ જિલ્લાના અન્ય તાલુકાનાં શિક્ષકો માટે પણ  વહીવટી કામગીરી બાબતે હરહંમેશ માટે મદદરૂપ થતાં રહે છે. જે બાબતની માહિતી જેતે તાલુકાનાં શિક્ષકોના મુખે જાણવા મળેલ છે. જેવી બાબતો માટે સન્માનની પાત્રતા ધરાવે છે.  હકીકતમાં, ધર્મેશ પટેલ બેવડું સન્માનની પાત્રતા  ધરાવે છે.

આ પ્રસંગે ધર્મેશભાઈ પટેલને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ કુમાર શાળાનાં આચાર્યશ્રી તથા ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ અને મહામંત્રી તથા વાડ શાળાનાં આચાર્યશ્રી કિરીટભાઈ પટેલ, ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલ, વાડ ગામના આગેવાન ચેતનભાઈ પટેલ અને દિનેશભાઈ પટેલ દ્વારા તેમને મળેલ બેવડું સન્માન માટે  હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

Comments

Popular posts from this blog

Navsari: માનનીય નવસારી કલેકટરશ્રી સુશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની મિટીંગ યોજાઈ

Navsari: માનનીય નવસારી કલેકટરશ્રી સુશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની મિટીંગ યોજાઈ રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની મિટીંગ યોજાઈ, જેમાં તા.10/06/2024 થી 29/06/2024 સુધી ચાલનારા "રક્તપિત્ત દર્દી શોધ અભિયાન" અંતર્ગત જરૂરી ચર્ચા કરવામાં આવી. #Leprosy #LeprosyAwareness @CMOGuj @InfoGujarat @GujHFWDept pic.twitter.com/mWtb2o12Ze — Collector & DM Navsari (@CollectorNav) June 8, 2024

Valsad,Navsari,Dang News paper updates 20-06-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

 Valsad,Navsari,Dang News paper updates 20-06-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara, 

Vansda (Singad Pra School) :વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

            Vansda (Singad Pra School) :વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. વાંસદા તાલુકાના સીંગાડ ગામની પ્રાથમિક શાળામાં સાંસદ ડો. કે.સી.પટેલના અધ્યક્ષપદે વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સામાજિક કાર્યકર રમણભાઈ એલ. પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદ્દઘાટન થયું હતું. નવીનભાઈ એસ. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અતિથિઓમાં પ્રમુખ વાંસદા તાલુકા પંચાયત દીપ્તિબેન પી. પટેલ, ઉપપ્રમુખ વાંસદા તાલુકા પંચાયત માધુભાઈ વી. પટેલ, કારોબારી અધ્યક્ષ વાંસદા તાલુકા પંચાયત તરુણભાઇ બી. ગાંવિત, ઉપપ્રમુખ ગ્રામ સેવામંડળ વિજયભાઈ માહલા, વાંસદા તાલુકાના સક્રિય આગેવાન રાકેશભાઈ શર્માનો સમાવેશ થતો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સીંગાડ ગામના સરપંચ ઉમાબેન વી. પટેલ, આગેવાનો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ અશ્વિનભાઇ પી. પટેલ, ગામના સામાજિક આગેવાન વિજયભાઈ આર. પટેલ, શાળાના આચાર્ય અને શાળા પરિવાર, એસ. એમ.સી.ના સભ્યો તથા શાળાના તમામ હિતેચ્છુઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનાં આમંત્રણ  અન...