Skip to main content

Posts

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધા

ખેરગામ કુમાર શાળા ખાતે કુમાર શાળા અને કન્યા શાળાનો સયુંક્ત શાળા પ્રવેશોત્સવ યોજાયો.

    તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને  કુમાર શાળા ખેરગામનાં પ્રાર્થના ખંડમાં કુમાર અને કન્યા શાળાના બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો..જેમાં  ગુજરાત રાજ્ય ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ,ગાંધીનગર વિભાગમાંથી  શ્રી આર. કે. મોદી સાહેબ , જિલ્લા કક્ષાએથી નવસારીનાં પી. આઈ.  શ્રી કે.એલ.પટની સાહેબ, ખેરગામ તાલુકાના પી.એસ.આઈ. શ્રી પઢિયાર સાહેબ ઉપસ્થિત રહી શાળાનાં બાલવાટિકાનાં 33 બાળકો તથા ધોરણ 1 નાં 4 બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.આર. કે. મોદી સાહેબ બાલવાટિકાનાં બાળકો માટે સ્પેશિયલ ગાંધીનગરથી શૈક્ષણિક કીટ લાવ્યા હતા જેનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં આ કાર્યક્રમમાં તા. પ.પ્રમુખશ્રી રક્ષાબેન  પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી લીનાબેન, ખેરગામનાં પૂર્વ સરપંચશ્રી કાર્તિકભાઈ પટેલ, પત્રકાર મિત્રો, એસ,એમ,સી.સભ્યો, ખેરગામ તાલુકા પ્રથમિક શિક્ષક સંઘનં પ્રમુખ દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રી કિરીટભાઈ પટેલ, ખેરગામ બી,આર,સી. વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને દિપાવ્યો હતો.

તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

    તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરેનભાઈ પટોળીક્યા વાવાઝોડાંને કારણે તેમને ડિઝાસ્ટર મેનેજમેન્ટની આવશ્યક કામગીરી સોંપાતા તેઓ હાજર રહી શક્યા નહોતા. પરંતુ પાટી કલ્સ્ટરનાં સી.આર.સી શ્રીમતિ ટીનાબેન ,  આંગણવાડી સુપરવાઈઝર શ્રીમતિ વનિતાબેન ,  ખેરગામ તાલુકા પંચાયત સભ્યશ્રી વિભાબેન જે. પટેલ , ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ  એસ.એમ.સી. સભ્યો ,  વાલીઓ ,  ગ્રામજનો હાજર રહી પ્રવેશોત્સવ કાર્યક્રમને દિપાવ્યો હતો. હાજર રહેલા તમામ મહેમાનોનું પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું. બાલવાટિકામાં પ્રવેશપાત્ર  બાળકોને  પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાલવાટિકનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમને અંતે શાળા પરિવારે સૌનો આભર વ્યક્ત કરી મહેમાનો પાસે વૃક્ષારોપણ કરાવ્યું હતુ.

તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

     તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરેનભાઈ પટોળીક્યા વાવાઝોડાંને કારણે તેમને ડિઝાસ્ટર મેનેજમેન્ટની આવશ્યક કામગીરી સોંપાતા તેઓ હાજર રહી શક્યા નહોતા. પરંતુ પાટી કલ્સ્ટરનાં સી.આર.સી શ્રીમતિ ટીનાબેન ,  આંગણવાડી સુપરવાઈઝર શ્રીમતિ વનિતાબેન ,  ખેરગામ તાલુકા પંચાયત સભ્યશ્રી  વિભાબેન જે. પટેલ  ,  એસ.એમ.સી. સભ્યો ,  વાલીઓ ,  ગ્રામજનો હાજર રહી પ્રવેશોત્સવ કાર્યક્રમને દિપાવ્યો હતો. હાજર રહેલા તમામ મહેમાનોનું પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું. બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોને આપવામાં આવ્યો હતો. બાલવાટિકનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.    કાર્યક્રમને અંતે શાળા પરિવારે સૌનો આભર વ્યક્ત કરી મહેમાનો પાસે વૃક્ષારોપણ કરાવ્યું હતુ.

તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

    તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરેનભાઈ પટોળીક્યા વાવાઝોડાંને કારણે તેમને ડિઝાસ્ટર મેનેજમેન્ટની આવશ્યક કામગીરી સોંપાતા તેઓ હાજર રહી શક્યા નહોતા. પરંતુ પાટી કલ્સ્ટરનાં સી.આર.સી શ્રીમતિ ટીનાબેન ,  આંગણવાડી સુપરવાઈઝર શ્રીમતિ વનિતાબેન ,  ખેરગામ ગ્રામ પંચાયત સભ્ય હેમલતાબેન ,  એસ.એમ.સી. સભ્યો ,  વાલીઓ ,  ગ્રામજનો હાજર રહી પ્રવેશોત્સવ કાર્યક્રમને દિપાવ્યો હતો. હાજર રહેલા તમામ મહેમાનોનું પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની ધોરણ -૮ ની બાળાઓ દ્વારા  ‘ મનુષ્ય તું બડા મહાન હૈ ’  ગીત રજૂ કરવામાં આવ્યુ. બાલવાટિકામાં પ્રવેશપાત્ર ૮ બાળકોને અને ધોરણ-૬માં    બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાલવાટિકનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગત વર્ષનાં ૩ થી ૫ ધોરણમાં પ્રથમ આવેલ બાળકોને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. શામળા ફળિયાનાં દાતાશ્રી હેમલતાબેન તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક કિટ દ્વારા બાલવાટિકાનાં બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.   કાર્યક્રમને અંતે શાળ

ખેરગામની દ્રષ્ટિ પટેલ ધોરણ -૧૦માં નવસારી જીલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું.

   MORE DETAIL :  CLICK HERE

નાની ઢોલડુંગરી ગામે આદિવાસી જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

            ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામે છકલા ફળીયા યુવકમંડળ દ્વારા તારીખ 20-05-2023ની  રાત્રે આદિવાસી જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આદિવાસી બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આખો કાર્યક્રમ વિસ્તારના આદિવાસી નેતા કલ્પેશપટેલની દેખરેખ હેઠળ સંપન્ન થયો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને બંધારણમાં આપેલ હક અને અધિકાર અંગે માહિતી આપવામાંઆવી હતી.આ કાર્યક્રમમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, ગુજરાત રાજ્ય આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદિપ ગરાસિયા, રૂઢિ ગામ સભાના અધ્યક્ષ રમેશભાઇ, ડો. નીરવ પટેલ છાંયડો હોસ્પિટલ ખે૨ગામના સંચાલક, વાંસદા સરપંચ સંઘપ્રમુખ મનીશભાઇ, ધરમપુર નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઇ, ઉત્પલ ચૌધરી, જયેન્દ્ર ગાવીત, મનાલા સરપંચ, બામટી સરપંચ વિજયભાઇ, નાની ઢોલ ડુંગરી સ૨પંચ યોગેશભાઇ, વિરવલ સરપંચ પ્રતિકભાઇ, રાજપુરી તલાટ સરપંચ  પ્રફુલભાઇ, ડોકટ૨ સંજય પટેલ, કમલેશ ૫ટેલ, દિનેશભાઇ પીપલખેડ,રાકેશભાઇ વાંકલ અને એમની ટીમ,આદિવાસી સગઠન ધરમપુરના વિનોદભાઇ અને એમની સાથી મિત્રો, ઘેજ ગામના રાકેશભાઇ અને એમના સાથીમિત્રો, જયેશભાઇ ખેરગામ, ડો. દિનેશભાઇ ખાં