Skip to main content

Posts

Showing posts from June, 2023

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધા

ખેરગામ તાલુકાના પ્રા. શિક્ષકોની બાલવાટિકા શિક્ષક સજ્જતા તાલીમ બહેજ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ.

     ખેરગામ તાલુકાના બાલવાટિકા શિક્ષકોની સજ્જતા  તાલીમ બહેજ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી. તારીખ ૨૬/૦૬/૨૦૨૩ થી તારીખ ૨૮/૦૬/૨૦૨૩ દરમ્યાન બાલવાટિકાનાં શિક્ષકો માટે બાલવાટિકાનાં બાળકો માટેના અભ્યાસક્રમ માટેની શિક્ષક સજ્જતા તાલીમ યોજાઈ હતી. ખેરગામ તાલુકાની 52 શાળાનાં ધોરણ ૧ થી ૫નાં શિક્ષકોમાંથી એક શિક્ષક  તાલીમમાં હાજર રહ્યા હતાં. આ તાલીમમાં નવસારી શિક્ષણ અને તાલીમ ભવનનાં લેકચરરશ્રી ડૉ. પ્રકાશભાઈ પટેલ,બી.આર.સી. વિજયભાઈ પટેલ, તજજ્ઞ મિત્રોમાં પ્રજ્ઞા ખેરગામ તાલુકા બી..આર.પી. નિમિષાબેન આહિર, પાટી સી.આર.સી.ટીનાબેન પટેલ, પાણીખડક સી.આર.સી વૈશાલીબેન સોલંકી, ખેરગામ સી.આર.સી ભાવિકાબેન પટેલ ત્રણ દિવસની તાલીમ દરમ્યાન હાજર રહી તાલીમાર્થીઓને જ્ઞાનનું ભાથું પીરસ્યું હતું. ત્રણ દિવસીય દરમ્યાનની તાલીમના પ્રથમ દિવસે તેમના દ્વારા રમતો, બાળગીતો, પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સાથે સાથે બાલવાટિકાની learning outcome (LO) ની વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકોની યાદશક્તિ વિકાસની પ્રવૃત્તિઓમાં આંખો બંધ કરી આજુબાજુનાં વાતાવરણમાં કયા કયા આવજો સંભળાયા અને કેટલા અવાજો સંભળાયા તેની નોંધ કરાવવ

ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામના ઉપલા ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારનું ઘર આગની ચપેટમાં આવતાં ભારે નુકશાન.

   ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામના ઉપલા ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારનું ઘર આગની ચપેટમાં આવી જતા ભારે નુકસાન થતાં અમારી સમસ્ત આદિવાસી સમાજની ટીમ દ્વારા પરિવારને આશરે 1-1.5  મહિના ચાલે એટલા અનાજ કરિયાણાની સહાય કરવામાં આવી.નોંધનીય બાબત એ હતી કે સવારે ઘર સળગ્યું અને સાંજ સુધીમાં તો ગામલોકોએ પાઘડી ફાળો કરીને નવા પતરા,જમવાની,ઢોર-ઢાંખર માટે ચારોપાણી સહિતની 90% વ્યવસ્થા કરી આપી માનવતા મહેકાવી ગ્રામ્યજનોની એકતાના દર્શન કરાવ્યા. ડૉ.નિરવ પટેલની ટીમ ત્યાં મદદ માટે ગઈ હતી ત્યારે પણ આશરે 250-300ની આસપાસ લોકોએ ઉપસ્થિત રહી યથાશક્તિ મદદરૂપ થવાના આ પ્રસંગને દીપાવ્યો.આ પ્રસંગે મંગુભાઇ,ઉમેશભાઈ,મયુર,કાર્તિક,ચકો મોગરાવાડી સહિતના ટીમના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

વાવ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો.

    તારીખ ૧૩-૦૬-૨૦૨૩નાં દિને  વાવ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો.  વાવ પ્રાથમિક શાળાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સુમનભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વાવ ગ્રામપંચાયતના સરપંચ શ્રીમતી બિન્નીબેન, S.M.C. ના સભ્યો, ગ્રામજનો , વાલીઓ, શિક્ષણવિદ શ્રી સુમનભાઈ પટેલ હાજર રહ્યા હતા.  

ખેરગામ તાલુકાના આછવણી, નીચલી બેજઝરી, પણંજ અને મોટી કોલવાડ પણંજ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો.

                                          કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ કાર્યક્રમનાબીજા દિવસે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીર ખેરગામ તાલુકાના આછવણી, નીચલી બેજઝરી, પણંજ અને મોટી કોલવાડ પણંજ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી બાળકોને કુમકુમ તિલક કરી આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ નામાંકન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવે બાળકોના શૈક્ષણિક જીવનનું પ્રથમ પગથિયું છે. શિક્ષકો બાળકોને પાયાનું શિક્ષણ મજબૂત બનેતેવા પ્રયત્નો હાથ ધરવા ખાસ અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે આધુનિકતા અને તકનીકનો ઉપયોગ કરી શિક્ષણને સર્વશ્રેષ્ઠ બનાવવા કમર કસી છે.ગુણવત્તાલક્ષી શિક્ષણથી આજે બાળક સમાજના મુખ્ય પ્રવાહમાં આવ્યું છે. શાળા પ્રવેશોત્સવ થકી લોકોને શિક્ષણ સાથે જોડવાનું કામ કર્યું છે. પ્રારંભમાં જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મહાનુભાવોએ બાળકોને દફતર કિટ, કંપાસ બોક્સ આપી નામાંકન કરાવ્યું હતું. કાર્યક્રમ બાદ શાળાના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના આરોગ્યની તપાસણી હાથ ધરી હતી. ખેરગામ તાલુકાની આછવણી પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધો

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ઉજવાયો.

                                    તારીખ 13.06.2023ના રોજ પ્રાથમિક શાળા વાડ મુખ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી...જેમાં વાડ ગામના પ્રથમ નાગરિક અંજલીબેન સરપંચની અધ્યક્ષતામાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં.. તાલુકા પંચાયતના સદસ્યો, આરોગ્ય કર્મચારી, ગામના અગ્રગણ્ય વ્યકિત અને જેને દાતાર કહી શકાય એવા દિનેશભાઈ તથા ચેતનભાઈ, આંગણવાડીના કાર્યકર તથા બાળકો...ની હાજરી માં આ કાર્યક્રમ યોજાયો હતો...  જેમાં સરપંચ શ્રી તરફથી બાલવાટિકામાં   પ્રવેશ પામેલ 16 બાળકો ને કીટ આપવામાં આવી તેમજ શાળાના સ્ટાફમાં બેન શ્રીમતી જાગૃતિબેન અને મનીષાબેન તરફથી બેગ આપવામાં આવી તેમજ ધોરણ 1થી 8 માં પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર મેળવેલ બાળકોને શાળા સ્ટાફ તરફથી કીટ આપી અભિવાદન કરવામાં આવ્યું , તેમજ cet ની પરીક્ષામાં મેઘાબેન કમલેશભાઈ પટેલ ને મેડલ પેહરાવી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું,ત્યારબાદ દિનેશભાઈ તરફથી તમામ બાળકો ને મફત નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું તે બદલ શાળા પરિવાર વતી તેમનું શાલ ઓઢાડી ને સન્માન  કરવામાં આવ્યું....ત્યાર બાદ શાળાના પટાંગાણમાં મુખ્ય મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવા

વડપાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

    તારીખ :૧૨-૦૬-૨૦૨૩નાં દિને વડપાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.જેમાં બાલવાટિકાનાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. ત્યાર બાદ નવસારી જિલ્લા અને શિક્ષણ ભવનનાં લેકચરર શ્રી રાજેશભાઈ પટેલ સાહેબના હસ્તે શૈક્ષણિક કીટ દ્વારા ૧૩ બાળકોને પ્રવેશ આપવાની શુભ શરૂઆત કરી ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.  એક દાતાશ્રી તરફથી શાળામાં ભણતા તમામ ૪૭ બાળકોને બેગ સ્વરૂપે અંદાજિત 16000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ખેરગામ સી.આર.સી.કો-ઓર્ડનેટર ભાવિકાબેન પટેલ ગામનાં સરપંચશ્રી પંકજભાઈ  નાયક, ગ્રામ પંચાયતનાં સભ્યો, એસ.એમ.સી.નાં અઘ્યક્ષ અજયભાઈ નાયક તથા સભ્યો, આંગણવાડી કાર્યકરો,વાલીઓ હાજર રહ્યા હતાં. શાળા પરિવારે ઉપસ્થિત તમામ મહેમાનો અને દાતાશ્રીનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.