Skip to main content

Posts

Showing posts from September, 2023

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધા

મોટાપોંઢાની કોલેજમાં સાહિત્યકાર મણીલાલ હ.પટેલનું વકતવ્ય યોજાયુ.

   મોટાપોંઢાની કોલેજમાં સાહિત્યકાર મણીલાલ હ.પટેલનું વકતવ્ય યોજાયુ. કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકાર મણીલાલ હ.પટેલનું વકતવ્ય યોજાયું હતું. ઈન્ચાર્જ આચાર્ય ડો. એસ.યુ. પટેલના અધ્યક્ષપણા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મણીલાલ હ.પટેલે ગુજરાતી સાહિત્ય જગતનો વિશિષ્ટ પરિચય કરાવ્યો હતો. વિદ્યાર્થીઓનું વિદ્યા તેજ વધુ વિસ્તરે અને અધ્યાપકોનું અધ્યયન વધે એવું વિદ્રતાસભર વકતવ્ય ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવારે મન ભરીને માણ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ડો. આશાબેન ગોહિલે કર્યું હતું.  સ્રોત : માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૦ સપ્ટેમ્બર

કચરામાંથી કંચન બન્યું ધરમપુરનું બારોલિયા ગામ.

‘‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનઃ કચરામાંથી કંચન બન્યું ધરમપુરનું બારોલિયા ગામ. --- કચરામાંથી કમાણી થઈ શકે તે માટે અતુલ કંપની સાથે એમઓયુ કરાયા. --- ઘરે ઘરેથી કચરો ઉપાડવા ૧૫માં નાણાં પંચની ગ્રાંટમાંથી રૂ. ૬.૬૬ લાખનો ટેમ્પો ખરીદાયો. --- કચરાનો પધ્ધતિસર નિકાલ થાય તે માટે રૂ. ૨.૪૩ લાખનો સેગ્રીગેશન શેડ બનાવાયો. --- માત્ર ચાર જ મહિનામાં ગામમાંથી એક ટન કચરો એકઠો કરાયો.   ‘કચરા મુક્ત ભારત, કચરા મુક્ત ગુજરાત’ ની થીમ પર સ્વચ્છતા હી સેવા- વર્ષ ૨૦૨૩ની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલિયા ગામે સ્વચ્છતાની દ્રષ્ટીએ અન્ય ગામડાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ બારોલિયા ગામ હવે કચરામાંથી કંચન બનશે.  ધરમપુર તાલુકાનું બારોલિયા ગામ કુલ ૯૪૫ ઘર અને ૪૦૮૮ વસ્તી ધરાવે છે. આ નાનકડા ગામમાં સ્વચ્છતાનું જન આંદોલન ઘરે ઘરે જોવા મળે છે. પોતાનું ગામ સ્વચ્છ રહે તે માટે ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને સભ્યો દ્વારા તો સરકારની વિવિધ ગ્રાંટ હેઠળ સાધનો ખરીદવામાં આવે જ છે પરંતુ ગામના લોકોમાં પણ સફાઈની સ્વયં શિસ્ત જોવા મળે છે.  જે અંગે ગામના તલ

પારડીની સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્ન.

     પારડીની સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્ન. --- વર્ણમાળા, જોડાક્ષર અને ધ્વનિ ઘટકની સમજૂતી સાથે ભાષાશુદ્ધિ, પદક્રમ અને અનુસ્વારનાં સાચા પ્રયોગો દર્શાવ્યાં. ગુજરાતના માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ભાષા સંવર્ધન, સજ્જતા અને સંરક્ષણ માટે પ્રતિષ્ઠાનના અગ્રણી અને બાળ વિશ્વ વિદ્યાલયના પૂર્વ કુલપતિ હર્ષદભાઈ શાહના સહજ, સરળ અને રસપ્રદ સંચાલન દ્વારા પારડીની શ્રી બ્રહ્મર્ષિ સાતવળૅકર સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા સ્વાધ્યાય મંડળ ખાતે એક દિવસીય કાર્યશાળા સંપન્ન થઈ હતી.  કાર્યશાળાના ઉદ્ઘાટન અવસરે સ્વાધ્યાય મંડળના અગ્રણી અને સંસ્કૃત બોર્ડના સભ્ય રાજેશભાઈ રાણાએ માતૃભાષા ગુજરાતીના હર્ષદભાઈ શાહના અનન્ય ભાષા પ્રેમ અને કૌશલ્ય દ્વારા શિક્ષણથી સૌ ગૌરવાન્વિત થશે એવી કામના સાથે ગંધાક્ષત અને સ્મૃતિભેટથી હાર્દિક સ્વાગત કર્યું હતું. ચાર સત્રીય કાર્યશાળામાં એક એક વર્ણના મહત્વ સાથે વર્ણમાળા, જોડાક્ષર અને ધ્વનિ ઘટકની રસપ્રદ સમજૂતી સાથે ભાષાશુદ્ધિ, પદક્રમ અને અનુસ્વારનાં સાચા પ્રયોગો પોતાની અનોખી શૈલીમાં દર્શાવ્યાં હતાં. જોડણીના વિવિધ નિયમો સમજાવી એક જ્ઞાનવર્ધક કસોટી દ્વારા

‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાનઃ ધરમપુર,કપરાડા,પારડી અને વાપીમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ.

     ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાનઃ ધરમપુર,કપરાડા,પારડી અને વાપીમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ.  સ્વચ્છ ભારત મિશન-(ગ્રા) યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા (SHS) તા. ૧૫મી સપ્ટેમ્બર થી તા.૧૫મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી સ્વચ્છતા માસની "ગાર્બેજ ફ્રી ઇન્ડિયા"ની થીમ સાથે શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ધરમપુરના કેણવળી ગામમાં હેન્ડ વોશ, મામાભાચા ગામમાં સ્વચ્છતા જાગૃતિ, કપરાડા તાલુકાના ઓઝર ગામમાં ડ્રોઈંગ સ્પર્ધા, સ્વચ્છતા જાગૃતિ અને સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા. પારડી તાલુકાના રોહિણા ગામમાં સ્વચ્છતા રેલી, સ્વચ્છતા અંગેના શપથ, સાફ સફાઈ, ચિત્રકામ અને સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી. ટુકવાડા ગામમાં સ્વચ્છતાના શપથ લેવાયા હતા.  વાપી તાલુકાના છીરી ગામમાં સ્વચ્છતા જાગૃતિ અને ચિત્રકામનું આયોજન કરવામાં આવ્યું હતું. સુકા અને ભીના કચરાના ડબ્બાઓના ઉપયોગની સમજ હેતુ "હરા ગિલા સુખા નીલા" ઝુંબેશ રૂપે સ્વચ્છતાની પ્રવૃત્તિનું આયોજન ગ્રામ પંચાયત કક્ષાએ  ગાર્બેજ ફ્રી ગ્રામ પંચાયત બનાવવા તમામ ગ્રામજનોને "સ્વચ્છતા હી સેવામાં" સહયોગ અને શ્રમદાન આપવા અનુરોધ કરાયો હતો.  સ્રોત

વલસાડ જિલ્લાના વિવિધ સ્થળો પર ‘‘સ્વચ્છતા હી સેવા’’ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું.

            વલસાડ જિલ્લાના વિવિધ સ્થળો પર ‘‘સ્વચ્છતા હી સેવા’’ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું. --- વર્લ્ડ ટુરીઝમ ડે નિમિત્તે જિલ્લા પ્રવાસન સ્થળો પર રંગોળી અને શપથ સહિતના કાર્યક્રમો થયા   સ્વચ્છ ભારત મિશન-(ગ્રા) યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા (SHS) તા. ૧૫મી સપ્ટેમ્બર થી તા.૧૫મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી સ્વચ્છતા માસની "ગાર્બેજ ફ્રી ઇન્ડિયા"ની થીમ સાથે શરૂઆત કરવામાં આવી છે. વર્લ્ડ ટુરિઝમ ડે નિમિત્તે તા. ૨૭ સપ્ટેમ્બરે વલસાડ જિલ્લાના ૬ તાલુકાઓમાં પર્યટન સ્થળો જેવા કે મહાદેવ મંદીર બરુમાળ, વિલ્સન હિલ, પારનેરા ડુંગર, નારગોલ બીચ, ફલધરા જલારામ ધામ, તિથલ, ઉદવાડા, કોલવેરા, કુંતેશ્વર મહાદેવ, વૈષ્ણોદેવી મંદિર ધમડાચી જેવા સ્થળો પર શ્રમદાનની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જેમાં જાહેર સ્થળોની સાફ-સફાઇ, સ્વચ્છતા શપથ, હેન્ડવોશ અને રંગોળી વગેરે જેવી કામગીરી કરવામાં આવી હતી. સરકારી સંપત્તિઓના સમારકામ, રંગ-રોગાન, સાફ-સફાઇ અને બ્રાન્ડિંગ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ નિષેધ કરવા તેમજ સુકા અને ભીના કચરાના ડબ્બાઓના ઉપયોગની સમજ હેતુ "હરા ગિલા સુખા નીલા" ઝુંબેશ રૂપે સ્વચ્છતાની પ્રવૃત્તિનું

ખેરગામ કુમાર શાળામાં સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેકટ અંતર્ગત સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

    ખેરગામ કુમાર શાળામાં  સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેકટ અંતર્ગત  સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. તારીખ :૨૭-૦૯-૨૦૨૩નાં દિને ખેરગામ કુમાર શાળામાં મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેકટ અંતર્ગત સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન ખેરગામ તાલુકા પંચાયતનાં  ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. સરકારશ્રીનીઆગવી યોજના જે સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકે ઓળખાય છે. જે શાળા soe માં પસંદગી પામી હોય તેવી શાળાઓમાં સ્માર્ટ ક્લાસની ફાળવણી કરવામાં આવે છે. જેમાં સ્માર્ટ બોર્ડ હોય છે જે ઇન્ટરનેટના માધ્યમથી ચાલે છે. જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. જેમાં ડિજિટલ રાઈટિંગ કરી શકાય અને રબરની જેમ સાફ પણ થઈ શકે છે. જેમાં ઓનલાઇન ઓડિયો વીડિયો, YouTube, google search, G-shala program જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેને બાળકો પણ ઓપરેટ કરી શકે છે.

ખેરગામ ગામના પહાડ ફળીયા ખાતે આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

     ખેરગામ ગામના પહાડ ફળીયા ખાતે આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. તારીખ : ૨૭-૦૯-૨૦૨૩નાં દિને ખેરગામ ગામની પહાડ ફળિયા આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ આંગણવાડીનું મકાન ઘણાં સમયથી જર્જરીત હાલતમાં હોય નવા મકાનની માંગણી કરવામાં આવી હતી.જે માંગણી સરકારશ્રી દ્વારા મંજૂર કરાતાં ખેરગામ તાલુકાનાં નવા વરાયેલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીનાં હસ્તે આંગણવાડીનાં મકાનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.        જેમાં ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઝરણાબેન પટેલ, ખેરગામ તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ, ખેરગામ જનતા માધ્યમિક મંડળના પ્રમુખશ્રી અને ગામના આગેવાન અરવિંદભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી ઉમેશભાઈ પટેલ તથા જયેશભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચશ્રી અશ્વિનભાઈ પટેલ, ગામના આગેવાનશ્રી ધનસુખભાઈ પટેલ, ગુલાબભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, પહાડ ફળિયા આંગણવાડીનાં કાર્યકર, વેણ  ફળિયા આંગણવાડીના કાર્યકર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

નવસારી સમસ્ત આદિવાસી સમાજ ટીમ અને સંકલ્પ એજ્યુકેશન ગૃપ ના સયુંકત ઉપક્રમે નર્મદા જિલ્લાના પૂર અસરગ્રસ્ત કુટુંબોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું.

          નવસારી સમસ્ત આદિવાસી સમાજ ટીમ અને સંકલ્પ એજ્યુકેશન ગૃપ ના સયુંકત ઉપક્રમે નર્મદા જિલ્લાના પૂર અસરગ્રસ્ત કુટુંબોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું.   નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી પ્રમુખ ડૉ.નિરવ પટેલ કે જેઓ વ્યવસાયે તબીબ હોવાં છતાં સમાજસેવા સાથે જોડાયેલા છે. અને જ્યારે જ્યારે આદિવાસી સમાજ કે અન્ય સમાજ પર આવેલી મુશ્કેલીઓ કે દુઃખમાં ભાગીદાર થઈ મદદ કરતાં રહે છે. "માનવ સેવા એજ પ્રભુ સેવા" નું સૂત્રને જીવનમાં વણી લીધું હોવાનું પ્રતીત થાય છે. નવસારી જિલ્લાના વતની અને નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષક શ્રી મિનેશભાઇ પટેલ કે જેઓ શિક્ષણની સાથે સાથે સમાજસેવા સાથે પણ જોડાયેલા છે. જેમણે સંકલ્પ એજ્યુકેશન ગૃપની રચના કરી છે. જેમાં સેવાભાવી કર્મચારીઓ જોડાયેલા છે.   આ નવસારી સમસ્ત આદિવાસી ટીમ અને સંકલ્પ એજ્યુકેશન ગૃપના સયુંક્ત ઉપક્રમે આ કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.  જે કાર્યક્રમમાં ડૉ. નિરવ પટેલ પોતાની વ્યસ્તતાના કારણે હાજર રહી શક્યા નહોતા.  પરંતુ સંકલ્પ એજ્યુકેશન ગૃપ દ્વારા નર્મદા જિલ્લાના પૂર અસરગ્રસ્ત કુટુંબોની મુલાકાત લેવામાં એવી હતી. જેમાં સૌપ્રથમ નર્મદા જિલ્લાના પિપરિયા ગામન

નવસારી જિલ્લા સમસ્ત આદીવાસી સમાજ અને સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા સેવાકાર્ય.

      નવસારી જિલ્લા  સમસ્ત આદીવાસી સમાજ અને સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા સેવાકાર્ય. ખેરગામ તાલુકામાં હોસ્પિટલ ચલાવતા નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડોકટર નીરવ પટેલ તેમની સેવાકીય પ્રવૃત્તિઓને કારણે જિલ્લામાં કીર્તિમાન બન્યા છે. આદિવાસી સમાજ જ નહીં અન્ય સમાજના લોકો માટે પણ સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે છે. અન્યાય સામે લડવામાં જર પણ પાછળ હટતા નથી જેને કારણે ડૉ .નિરવ પટેલ ખૂબ જ લોકપ્રિય બન્યા છે.નવસારી જિલ્લા જ નહીં રાજ્યમાં કોઇ પણ ખૂણે મદદ કરવા માટે તત્પર રહે છે. અને તેમની સેવાકીય પ્રવૃતિઓમાં આદિવાસી સમાજના તમામ હોદેદારો સાથે હર હમેશ તેમની પડખે ઉભો રહે છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા નવાપુરા ગામના ૧૨ જેટલાં ઘરોને આગની ઘટનામાં  થયેલ વ્યાપક નુકસાન બાબતનો વિડીયો સોસીયલ મીડિયામા વાયરલ થતાં રાજપીપળાના સેવાભાવી શિક્ષક મિનેશ પટેલે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ પટેલ અને ઉકાઇના એન્જીનીયર ગૌરાંગ પટેલને તેમજ સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલકોને જાણ કરી હતી. જે બાદ બધાએ ભેગા મળીને અનાજ, કપડાં, વાસણ, નોટબુક, ગોદડા સાહિતની ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ ભરીને લઇ જઇ ૯ જેટલાં ગરીબ